Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

વડોદરાના વાઘોડિયા રોડ પર રીનોવેશન થયેલા મકાનમાં પાણી છાંટવા ગયેલ શખ્સને અચાનક વીજ કરંટ લાગતા મૃત્યુ

વડોદરા: શહેરના વાઘોડિયા રોડની સમર્પણપાર્ક સોસાયટીમાં રહેતા શિક્ષક રિનોવેશન થયેલા મકાન પર પાણી છાંટવા ગયા હતા તે સમયે અચાનક કરંટ લાગતા તેમનું મોત નીપજ્યું  છે. 

આ અંગેની વિગત એવી છે કે, વાઘોડિયા રોડની સમર્પણપાર્ક સોસાયટીમાં રહેતા ચિરાગકુમાર સુમનભાઇ પટેલ ઉ.વ.૪૬  સરકારી સ્કૂલમાં શિક્ષક છે. હાલમાં તેમના મકાનમાં રિનોવેશનનું કામ ચાલે છે. સાંજે ચાર વાગ્યે તેઓ મકાનમાં પાણી છાંટવા ગયા હતા. પાણીની મોટર ચાલુ કરતા જ તેમને કરંટ લાગ્યો હતો. જેથી તેમને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. પરંતુ સારવાર મળે તે પૂર્વે જ તેમનું મોત નીપજ્યું હતું. 

 

(5:51 pm IST)