Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

રાજ્યમાં 29 ટકા પાણીનો જથ્થો બચ્યો :નર્મદા ડેમમાં 32 ટકા અને અન્ય ડેમોમાં 27 ટકા જળ જથ્થો સંગ્રહિત

 

અમદાવાદ ;રાજ્યમાં પાણીના જથ્થાની સ્થિતિ અંગે જળસંચય મંત્રી પરબત પટેલે કહ્યું હતું કે હાલ રાજ્યમાં 29 ટકા પાણીને જથ્થો ઉપલબ્ધ છે.પટેલે વધુમાં જણાવ્યુ હતુ કે નર્મદા ડેમમાં 32 ટકા પાણીનો જથ્થો છે. જ્યારે અન્ય ડેમોમાં 27 ટકા પાણી નો જથ્થો ઉપલબ્ધ છે.આજી-3 અને સાની ડેમના દરવાજાનું રીપેરીંગ કામ હાલ ચાલી રહ્યુ છે. જ્યારે રાજ્યમાં જુલાઈ સુધી પાણીનો જથ્થો યથાવત રહેશે તેમ પરબત પટેલે જણવ્યું હતું .

(10:02 pm IST)