Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

શંકરસિંહ વાઘેલા પરિવાર પર વજ્રઘાત : કોરોનાથી ભાઈ-ભાભી નું અવસાન

કનુસિંહ વાઘેલાના નિધન બાદ તેમના પત્નીનું પણ નિધન : શંકરસિંહે દુઃખ વ્યક્ત કરનારા અને સંવેદના વ્યક્ત કરનારનો આભાર માન્યો

ગાંધીનગર : ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પરિવારના 2 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે. શંકરસિંહના નાના ભાઈ કનુસિંહ વાઘેલાનું 17 એપ્રિલના રોજ કોરોનાના કારણે નિધન થયું હતું. તો 20 એપ્રિલેના રોજ સ્વ.કનુસિંહના પત્ની ગીતાબા વાઘેલાનું નિધન થયું છે. આમ માત્ર 3 દિવસના અંતરે પતિ-પત્ની બન્નેના નિધનથી વાઘેલા પરિવાર શોકમાં ડુબી ગયો છે.

શંકરસિંહે ટ્વિટ કરીને લખ્યું કે, મારા નાના ભાઈ અને ભાભીનું કોરોનાથી દુઃખદ નિધન થયું છે. અમારા પરિવાર પ્રત્યે ફોન, સોશિયલ મીડિયા અને પત્રના માધ્યમથી સંવેદનાઓ વ્યક્ત કરનાર તમામ મિત્રોનો આભાર. બાપુએ ટ્વિટ કરીને કહ્યું આ દુ:ખની ઘડીમાં જે લોકો સાથે ઊભા રહ્યા તેમનો આભાર, તમે બધા સ્વસ્થ રહો અને સુરક્ષિત રહો.

(5:56 pm IST)