Gujarati News

Gujarati News

News of Thursday, 23rd April 2020

સિદ્ધપુરના નેદ્રાના કોરોનાથી સ્વસ્થ થયેલા બે લોકોનો ફરીથી કોરોના રિપોર્ટ પોઝિટીવ

હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ રિપોર્ટ પોઝિટિવ આવતા આઇસોલેશનમાં ખસેડાયા

પાટણઃ પાટણના સિદ્ધપુરમાં કોરોનાથી સ્વસ્થ થયેલા બે દર્દીઓને ફરીવાર કોરોના વળગ્યો છે,મળતી જાણકારી મુજબ પાટણના સિદ્ધપુરના નેદ્રા ગામમાં કોરોનાથી સ્વસ્થ થયેલા બે વ્યક્તિઓનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા ધારપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ગુજરાતમાં પ્રથમવાર એવી ઘટના બની છે જેમાં સ્વસ્થ થયેલા દર્દીઓ ફરીવાર પોઝિટીવ નોંધાયા હતા.

  મળતી જાણકારી મુજબ પાટણના નેદ્રામાં તાજેતરમાં જ રજા આપવામાં આવેલા કોરોનાના 11 દર્દીઓ પૈકીના બે દર્દીનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. જેમાં 55 વર્ષની એક મહિલા અને 60 વર્ષના એક પુરુષનો સમાવેશ થાય છે. નેદ્રા ગામના બે દર્દીઓના સેમ્પલ નેગેટીવ આવતા ધારપુર મેડીકલ કોલેજ ખાતેથી ડીસ્ચાર્જ કરવામાં આવ્યા હતા પરંતુ ફરીવાર પોઝિટીવ આવતા તેમને આઇસોલેશનમાં ખસેડાયા હતા. જોકે, સ્વસ્થ થયા બાદ તેમને ક્વોરેન્ટાઇન રખાયા હતા. જોકે, બાદમાં બંન્નેના ફોલોઅપ સેમ્પલ લેવાતા પોઝિટીવ રિપોર્ટ આવ્યો હતો.

(1:37 pm IST)