Gujarati News

Gujarati News

News of Monday, 23rd March 2020

રાજપીપળા નગર પાલીકા ટિમ દ્વારા શહેરના માર્ગો પર સેનેટાઇજેસન કરાયું

જાહેર સ્થળો, લોકોની અવર જવર વધુ ધરાવતા સ્થળો તેમજ વધુ ગીચ વસ્તી ધરાવતા વિસ્તારોમાં સેનેટાઇઝરનો છંટકાવ

 

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા નગર પાલીકા દ્વારા સાવચેતીના ભાગરૂપે સમગ્ર શહેરમાં સેનેટાઇઝરનો છંટકાવ કરવાની શરૂઆત કરવામાં આવી છે.શહેરમાં આવેલ જાહેર સ્થળો,લોકોની અવર જવર વધુ ધરાવતા સ્થળો તેમજ વધુ ગીચ વસ્તી ધરાવતા વિસ્તારોમાં સેનેટાઇઝરનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.પાલિકા દ્વારા તકેદારીના ભાગ રૂપે શહેરના અલગ અલગ વિસ્તારોમાં કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં ખાસ કરીને જ્યાં લોકોની અવરજવર વધુ હોય ત્યાં સેનેટાઇઝર.કરવામાં આવી રહ્યો છે.

 

 રાત્રે વાહન વ્યવહાર કે લોકોની અવર જવર હોય તેથી કામગીરીમાં કોઈને મુશ્કેલી પડે માટે ચીફ ઓફિસર જયેશ પટેલ પણ પાલીકાની ટિમ સાથે હાજર રહ્યા હતા અને સાવચેતીના ભાગરૂપે રાત્રીના સમયે સેનેટાઇજેસન કરાયું હતું

(11:30 pm IST)