Gujarati News

Gujarati News

News of Monday, 23rd March 2020

ધનસુરા તાલુકાના નારણપુરા ગામે અગમ્ય કારણોસર ખેતરમાં માતા-પુત્રનું મૃત્યુ નિપજતા કુતુહલ મચી જવા પામ્યો

ધનસુરા:તાલુકાના નારણપુરા ગામની મહિલા અને તેના પુત્ર હિરાપુરકંપાની સીમમાં આવેલ મકાઈના ખેતર નજીક કોઈ અગમ્ય કારણોસર મોત નીપજતાં ભારે અરેરાટી વ્યાપી જવા પામી હતી.ત્યારે આ ઘટના બાદ ઘર્ષણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયા બાદ પરિથિતિ જોઈ ટોળાને વિખેરવા ટીયર ગેસ ના સેલ છોડયા હતા.જયારે ટોળાએ પથ્થર મારો કરતા બે ત્રણ ગાડી ના કાચ તોડી ઘઉંના ખેતરમાં આગ લગાવતાં વાતાવરણ માં તંગદીલી સર્જાઈ હતી.અને પરિસ્થિતિ થાળે પાડવા પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.

ધનસુરા તાલુકાના નારણપુરા ગામની 24 વર્ષિય હેતલબેન ભરતભાઈ મકવાણા અને તેનો ચાર વર્ષનો પુત્ર જૈમિન હિરાપુરકંપા ની સીમમાં આવેલ મકાઈના ખેતર નજીકથી પસાર થતાં કોઈ કારણસર મહિલા અને તેના પુત્રનું મોત નીપજયું હતું.ત્યારે આ સમાચાર વાયુવેગે પ્રસરી જતાં મૃતક મહિલાના પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.અને આ ઘટના સંદર્ભે મૃતક મહિલાના પરિવાર અને ગ્રામજનો એ હિરાપુરકંપા ખાતે પથ્થરમારો કરતાં વાતાવરણમાં તંગદીલી સર્જાઈ હતી.અને ભારે ઘષર્ણ થતાં પોલીસ સહિત અરવલ્લી જિલ્લા પોલીસવડા ઘટના સ્થળે પહોંચી ગયા હતા.ત્યાર બાદ ટોળાને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જ તથા ટીયર ગેસ ના સેલ છોડયા હતા.

(5:57 pm IST)