Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

અમદાવાદના આનંદનગરમાં વિદ્યાર્થીનું અપહરણ કરી ઢોર માર મારતા પોલીસ ફરિયાદ

અમદાવાદ:આનંદનગરમાં રહેતા અને એન્જિનીયરીંગ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું તેના મિત્રોએ કારમાં અપહરણ કર્યુ હતુ. ત્યારબાદ એસ.જી.હાઇવે પર અલગ અલગ સ્થળે લઇ જઇને પ્લાસ્ટીકના પાઇપ તથા પટ્ટાથી મારમાર્યો હતો. આ બનાવ અંગે આનંદનગર પોલીસે પાંચ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મિત્રની બહેનને મેસેજ કરતો હોવાનો વહેમ રાખીને આરોપીઓએ યુવકને મારમાર્યો હતો.

જોધપુર ગામ પાસે બિલેશ્વર મહાદેવ મંદિર પાસે સતકત પાર્થ સારથી એવન્યુંમાં રહેતા અને ડિપ્લામા એન્જિનીયરીંગમાં અભ્યાસ કરતા કૈશલ ધવલભાઇ જાદવે આનંદનગર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોધાવી છે, કે ગત તા. ૧૭ના રોજ સાંજે તેની સાથે કોલેજમાં અભ્યાસ કરતા રજત નાયરએ પીએમએસ વિષયની ઝેરોક્ષ માટે ફોન કરીને એપાર્ટમેન્ટ નીચ બોલાવ્યો હતો. જ્યાં સુરજ સોની અને શુભ ઠક્કર, જીત ભટેશીયાના પણ હાજર હતા.

તેઓએ સીટી ગોલ્ડ સિનેમા પાસે ચા પીવા જવાનું કહીને બાઇક પર યુવકને બેસાડી દીધો હતો અને તેઓ ત્યાં જવાના બદલે એસજીહાઇવે રાજપથ ક્લબ નજીક લઇ ગયા હતા.ત્યાં જતાની સાથે જ સુરજ સોનીએ લાફો મારીને કહ્યું કે તુ મારી બહેનને મેસજ કેમ કરે છે. જેથી યુવકે જણાવ્યું કે મે કોઇ મેસેજ કર્યા નથી યુવકે મેસેજ બદલ પ્રુફ માગ્યા હતા. ત્યાં જ દ્રોણ પંચાલે આવીને પ્લાસ્ટીકની પાઇપથી યુવકને માર્યો હતો. ત્યારબાદ લાલ કલરની ટી શર્ટ વાળા યુવકની કારમાં અપહરણ કરીને સિન્ધુ ભવન રોડ પર લઇ જઇને પણ મારમાર્યો હતો અને ત્યારબાદ યુવકને ઇસકોન મોલ પાસે ઉતારીને આરોપીઓ નાસી છૂટયા હતા.

(6:03 pm IST)