Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

૨૧૧ ગોડાઉનમાં સી.સી. ટીવી કેમેરા લગાવવા સરકાર હવે જાગી

હાલ ઐકેય ગોડાઉનમાં કેમેરા જ નથી

ગાંધીનગર, તા.૨૩ : રાજયમાં નાગરિક પુરવઠા નિગમમાં આવેલા ગોડાઉનમાં સી.સી.ટીવી કેમેરા અંગે કોગ્રેંસના શૈલષ પરમાર દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્નનના ઉત્તરમાં અત્ર અને નાગરિક પૂરવઠા મંત્રીએ જણાવ્યુ઼ હતંુ કે રાજયમાં નાગરિક પૂરવઠા નિગમનાં કુલ ૨૧૧ ગોડાઉનો આવેલાં છે.

રાજયમાં આવેલા આ ગોડાઉનોમાં એક પણ જગ્યાએ સી.સી. ટીવી કેમેરા બનાવવામાં આવેલ નથી. સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરી બને તેટલી ઝડપથી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આ સી.સી. ટીવી કેમેરા ન લગાવવામાં આવ્યા તેવા પૂરક પ્રશ્નના ઉત્તરમાં મંત્રીએ જણાવ્યંુ કે સર્વેની કામગીરી ચાલુ છે, આ સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરી કામગીરી પૂર્ણ કરવામાં આવશે તેવી ખાત્રી આપવામાં આવી હતી.

(1:55 pm IST)