Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd January 2019

આણંદ નજીક જીટોડિયામાં તસ્કરોએ મધ્યરાત્રીએ બંધ મકાનને નિશાન બનાવી દાગીનાની ઉઠાંતરી કરી

આણંદ: નજીક આવેલા જીટોડીયા ગામની ક્રિશ્નાવિલા સોસાયટીના બંગલામાં ગઈકાલે મધ્યરાત્રીના સુમારે ત્રાટકેલા કેટલાક તસ્કરોએ તાળા અને ઈન્ટરલોક તોડીને ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. જો કે તસ્કરોને બંગલામાંથી સોના-ચાંદીના દાગીના કે રોકડ રકમ ના મળી આવતાં ફેરો ફોગટ પડ્યો હોવાનું જાણવા મળ્યું છે. 

ચોરીની મળતી વિગતો અનુસાર જીટોડીયા ગામે આવેલી ક્રિશ્નાવીલા સોસાયટીના બંગલા નંબર ૧૧માં વિક્રમભાઈ હરિભાઈ પટેલ રહે છે. ગઈકાલે તેઓ પોતાના પરિવાર સાથે બંગલાને તાળુ મારીને વીરપુર ખાતે આવેલા જલારામ મંદિરે દર્શન કરવા માટે ગયા હતા. દરમ્યાન રાત્રીના સુમારે કેટલાક તસ્કરો ત્રાટક્યા હતા અને મુખ્ય દરવાજાનું તાળુ તથા ઈન્ટરલોક તોડીને અંદર ઘુસ્યા હતા અને બેઠકરૂમ તેમજ ઉપલા માળે આવેલા બેડરૂમ તેમજ કબાટ તોડી નાંખીને અંદરથી સોના-ચાંદીના દાગીના, રોકડની શોધખોળ કરી હતી પરંતુ કશુંય મળ્યુ નહોતુ. તસ્કરોએ ત્યારબાદ રસોડા તેમજ મંદિરનો પણ સામાન વિરેવિખેર કરી નાંખ્યો હતો. 

(6:05 pm IST)