Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd December 2020

રાજ્યમાં કોરોનાના વધુ 1,209 દર્દીઓ સ્વસ્થ થયા : નવા 988 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 7 લોકોના મોત : મૃત્યુઆંક 4248 થયો : કુલ 2,21,602 લોકોએ કોરોનાને મ્હાત આપી : કુલ કેસનો આંક 2,37,247 થયો

રાજ્યમાં આજે સૌથી વધુ સૌથી વધુ અમદાવાદ શહેરમાં 201-ગ્રામ્યમાં 8 કેસ, સુરત શહેરમાં 128-ગ્રામ્યમાં 32 કેસ, વડોદરા શહેરમાં 104-ગ્રામ્યમાં 33 કેસ, રાજકોટ શહેરમાં 102-ગ્રામ્યમાં 31 કેસ અને મહેસાણામાં 35 કેસ નોંધાયા : હાલ 11,397 એક્ટિવ કેસ : જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો ત્યારે  આજે રાજ્યમાં 988 નવા કેસ નોંધાય છે જયારે આજે વધુ  1,209 દર્દીઓ રિકવર થયા છે  છેલ્લા ઘણા દિવસો બાદ આજે સતત બીજા દિવસે નવા કેસની સંખ્યા 1000થી ઓછી થઇ છે

 રાજ્યમાં આજે કોરોનાના નવા 988 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે વધુ 1209 દર્દીઓ સ્વસ્થ થયા છે રાજ્યમાં કોરોના કેસનો કુલ કેસની સંખ્યા 2,37,247 થઇ છે જયારે આજે વધુ 1209 દર્દીઓ સાજા થતા અત્યાર સુધીમાં કુલ 2,21,602 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં વધુ 7 લોકોનો કોરોનાએ ભોગ લીધો છે આ સાથે રાજ્યમાં મૃત્યુઆંક વધીને 4248 થયો છે  રાજ્યમાં રિકવરી રેટ 93,41 થયો છે

  રાજ્યમાં હાલ 11,397 એક્ટિવ કેસ છે. જેમાંથી 64 દર્દીઓ વેન્ટિલેટર પર છે  છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 54,587 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેથી અત્યાર સુધીમાં કુલ 91,62,980 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

  રાજ્યમાં આજે અમદાવાદમાં 5, સુરતમાં 1 અને બોટાદમાં 1 સાથે 24 કલાક દરમિયાન કુલ 7 લોકોના કોરોનાથી મોત થયા છે 

  રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 988 પોઝિટિવ કેસમાં રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં 201-ગ્રામ્યમાં 8 કેસ, સુરત શહેરમાં 128-ગ્રામ્યમાં 32 કેસ, વડોદરા શહેરમાં 104-ગ્રામ્યમાં 33 કેસ, રાજકોટ શહેરમાં 102-ગ્રામ્યમાં 31 કેસ અને મહેસાણામાં આજે 35 કેસ નોંધાયા છે.

(8:36 pm IST)