Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd December 2020

શા.માધવપ્રિયદાસજી સ્વામીના હસ્તે મેમનગર ગુરુકુલ ખાતે શ્રી ઘનશ્યામ મહારાજના રજત જયંતી પ્રસંગે નાદબ્રહ્મ મ્યુઝિક ગ્રુપના કલાકારોનું બહુમાન

અમદાવાદ તા.૨૨ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ મેમનગર ખાતે પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની આગેવાની નીચે શ્રી ઘનશ્યામ મહારાજના રજત જયંતી મહોત્સવ ઉજવાઇ રહ્યો છે.

ત્યારે યોગાનુયોગ ભગવાન શ્રી સ્વામિનારાયણની પરાવાણી વચનામૃતને પણ દ્વેિશતાબ્દી વર્ષ પૂર્ણ થયેલ છે.

આ બેય ઉત્સવ પ્રસંગે, શા.માધવપ્રિયદાસજી સ્વામીના વ્યાસ પદે યોજાયેલ વચનામૃત કથા પ્રસંગે, કથા અંતર્ગત આવતા કિર્તનોનો સતત ત્રણ દિવસ સુધી રસાસ્વાદ કરાવનાર નાદબ્રહ્મ મ્યુઝિક ગ્રુપના કલાકારો દર્શનપ્રિયદાસજી સ્વામી, શ્રીઘનશ્યામ ભગત, સંગીતકાર શ્રી કૌશિક ગોલાદરા, અમીતભાઇ ક્યાડા, તબલા વાદક - રાકેશકુમાર વાણી અને ઓક્ટોપેડ વાદક - રાકેશભાઇ  સોનારાનું  શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીએ આશીર્વાદ સાથે બહુમાન કર્યું હતું.

(3:45 pm IST)