Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

અમદાવાદમાં અખિલ ભારતીય આયુર્વેદ મહાસંમેલનઃ વિવિધ કાર્યક્રમો

રાજકોટઃ તા.૨૨, અખિલ ભારતીય આયુર્વેદ મહાસંમેલન ગુજરાત પ્રદેશ આયુર્વેદ સંમેલન (ગુજરાત બ્રાન્ચ) તથા મીનીસ્ટ્રી ઓફ આયુષ દ્વારા અમદાવાદ ખાતે તા.૨૫ સુધી સવારે ૧૦ થી ૬:૩૦ સુધી ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ, ૧૩૨ ફુટ રોડ, હેલ્મેટ સર્કલ પાસે, અમદાવાદ ખાતે રાખવામાં આવેલ છે.

 આ સંમેલનનો હેતુ આયુર્વેદ અંગે સાચી સમજણ લોકોને પ્રાપ્ત થાય. આયુર્વેદ પ્રત્યે ખોટી માન્યતાઓ દુર  થાય, આયુર્વેદનો પ્રચાર, પ્રસાર થાય તે રાખવામાં આવ્યો છે. આ મહાસંમેલનમાં નેશનલ સેમીનારનું પણ આયોજન થયું છે. આ સંમેલનમાં કોઇ એન્ટ્રી ફી રાખવામાં આવેલ નથી.

આ સેમીનારમાં ફીટનેશ પેવેલીયન, વેલનેશ પેવેલીયન તથા મફત નિઃશુલ્ક નિદાન કેમ્પ તથા ૧૫૦+ પીજી સ્કોલર પેપર/ પોસ્ટર પ્રેઝન્ટેશન રખાયા છે. અંગે વધુ વિગત માટે અકબરભાઇ પટેલનો નં.(૯૮૭૯૨૭૧૦૦૯)ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

(3:43 pm IST)