Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

વિનય શાહની પત્ની ભાર્ગવી શાહે CID ક્રાઇમને પાઠવ્યો પત્ર : આત્મસમર્પણની દર્શાવી તૈયારી

260 કરોડનું કૌભાંડ આચરનાર વિનય શાહ અને તેની પત્ની હાલ ફરાર

 

અમદાવાદઃ 260 કરોડના કૌભાંડી વિનય શાહના પત્ની ભાર્ગવી શાહે આત્મસર્પણ માટે તૈયારી દર્શાવી છે વધુ  વળતર આપવાની લાલચ આપી લોકોને ઠગનારા વિનય શાહ હાલમાં ફરાર છે. ત્યારે ભાર્ગવી શાહે સીઆઇડી  ક્રાઇમને પત્ર લખી આત્મસમર્પણની તૈયારી દર્શાવી છે.

 આ અરજીની નકલ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન સહીત ડીજી  કચેરી અને સીઆઇડીને મોકલવામાં આવ્યો છે.અરજીમાં પતિ વિનય શાહ માનસિક તણાવમાં છે.તે ભાર્ગવી  શાહ જાણતી નથી. તેમજ ભાર્ગવી શાહે કોર્ટ સમક્ષ હાજર થવા તૈયારી દર્શાવી છે.

 તપાસ એજન્સી યોગ્ય કાર્યવાહી કરે તેવી અરજીમાં માગ કરી છે. આ પત્રમાં ભાર્ગવી શાહે પોતાના પરિવારની સુરક્ષા કરવાની માગ પણ કરી છે. વિનય શાહ અત્યારે ક્યાં છે તેની તપાસ ચાલી રહી છે. ત્યારે ભાર્ગવી શાહના આત્મસમર્પણ માટેના પત્રથી વિનય શાહ સામે આવે તેવી શક્યતા છે.

 વિનય શાહે કથિત સ્યુસાઇડ નોટમાં કરેલા લખાણ મુજબ પગલું ભર્યું હોવાની આશંકા વ્યક્ત કરતા ભાર્ગવીએ નોટમાં લખેલ તમામ નામોના નિવેદનો લઈ તપાસ થાય તેવી પણ માગ કરી છે

(12:28 am IST)