Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd November 2017

અમદાવાદમાં ભાજપના કોણ કપાશે કોને મળશે ટિકિટ ;ભારે ઉતેજના :જબરી ચર્ચા

 અમદાવાદ :વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ દ્વારા કાલે વધુ ઉમેદવારોની યાદી જાહેર કરાય તેવી શકયતા છે ત્યારે અમદાવાદમાં કોને ટિકિટ મળશે અને કોણ કપાશે તે અંગે જબરી ઉતેજના સાથે ભારે ચર્ચાઓ જાગી છે ચર્ચા મુજબ અમદાવાદના બાપુનગરમાં જગરૂપસિંહની ટિકિટ કપાઈ શકે છે. ઠક્કરનગરમાં વલ્લભ કાકડિયા, વેજલપુરમાં કિશોરસિંહ ચૌહાણ મણિનગરમાં સુરેશ પટેલ તમામ ધારાસભ્યોની ટિકિટ પર કાતર વાગી શકે તેવી શક્યતાઓ રહેલી છે. જ્યારે એલિસબ્રિજમાં રાકેશ શાહને રિપીટ કરવામાં આવી શકે છે. મણિનગરમાં હિમાની પારેખની ટિકિટ નક્કી માનવામાં આવી રહી છે. ઘાટલોડિયામાં અને નારણપુરા સીટ ખાલી થતાં નવા ઉમેદવાર આવી શકે છે. તો નારણપુરામાં અમિત શાહના નજીકના વ્યક્તિને પાર્ટી ટિકિટ આપી શકે છે.

(11:02 pm IST)