Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

નાર્કોટિક્સ સેલ દ્વારા રાજ્યનો પ્રથમ કેસ :વિસનગરના ફકીર અમીનાબાનું જેલહવાલે

 

નાર્કોટીક્સ સેલ દ્વારા રાજ્યનો પ્રથમ કેસ નોંધાયો છે  નાર્કોટીક્સની હેરાફેરી અને વેચાણ મામલે વિસનગરના ફકીર અમીનાબાનુની અટકાયત કરી જેલના હવાલે કરવામાં આવ્યો છે.

  ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, વિશ્વભરમાં નશીલા પદાર્થો અને માદક પદાર્થોના સેવનનો વ્યાપ વધ્યો છે ત્યારે રાજ્યનું યુવાધન માર્ગે જાય નહી તે માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કર્યો છે.

 રાજ્યમાં નશીલા પદાર્થો અને માદક દ્રવ્યોના વેચાણહેરાફેરીની પ્રવૃત્તિને ડામવા માટે સી.આઇ.ડી. ક્રાઇમના નાર્કોટીક્સ સેલ દ્વારા રાજ્યમાં પ્રથમ કેસ તરીકે વિસનગરના ફકીર અમીનાબાનુની અટકાયત કરીને સાબરમતી જેલમાં મોકલી દેવાયો છે.

(10:46 pm IST)