Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

નડિયાદમાં બંધ મકાનમાંથી તસ્કરોએ 1 લાખની મતાની ચોરી કરી

નડિયાદ એસ.ટી. નગર રોડ ઉપર આવેલ નિર્મલ નગર સોસાયટીના બંધ મકાનમાંથી કોઈ તસ્કરો આશરે રૂા. એક લાખની મત્તા ચોરી ગયાનું જાણવા મળેલ છે.

મળેલ વિગત મુજબ નડિયાદ એસઆરપી નગર, એસ.ટી.નગર રોડ નજીક નિર્મલનગર સોસાયટી આવેલ છે. આ નિર્મલ નગર સોસાયટીમાં રહેતા સનતભાઈ ચૌહાણ મકાનને તાળું મારી બહારગામ ગયા હતાં. આ દરમ્યાન રાત્રી સમયે ત્રાટકેલા તસ્કરો મકાનનું તાળું તોડી અંદર પ્રવેશ્યા હતા.

આ તસ્કરો મકાનમાં પ્રવેશી તિજોરીમાં મૂકેલા સોના-ચાંદીના દાગીના મળી અંદાજિત રૂા. એક લાખની મત્તા ચોરી ગયાનું જાણવા મળેલ છે. જોકે આ બનાવ અંગે નડિયાદ ટાઉન પોલીસમાં કોઈ ફરિયાદ નોંધાઈ નથી.

(6:03 pm IST)