Gujarati News

Gujarati News

News of Sunday, 22nd April 2018

સીઆરપીએફ જવાને ગોળી મારી આત્મહત્યા કરી લીધી

સીઆરપીએફ, આર્મી છાવણીમાં શોકની લાગણી : મૃતક જવાન પ્રમોદ કુમાર દાસ ઓરિસ્સાનો વતની હતો ચિલોડા પોલીસે સમગ્ર મામલામાં વધુ તપાસ હાથ ધરી

અમદાવાદ,તા. ૨૨ : ગાંધીનગર ખાતે આર્મી કેન્ટોનમેન્ટ વિસ્તારમાં સીઆરપીએફ કેમ્પ ખાતે જ સીઆરપીએના એક જવાને આજે પોતાની સર્વિસ રાયફલ વડે ગોળી મારી આત્મહત્યા કરતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. તો બીજીબાજુ, બનાવને પગલે સીઆરપીએફ અને આર્મી છાવણીમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, ગાંધીનગર ખાતે આર્મી કેન્ટોનમેન્ટ વિસ્તારમાં ફરજ બજાવતાં અને મૂળ ઓરિસ્સાના વતની એવા સીઆરપીએફ જવાના પ્રમોદકુમાર દાસે આજે અચાનક પોતાની સર્વિસ રાયફલમાંથી ગોળી મારી આત્મહત્યા કરી લેતાં સમગ્ર વિસ્તારમાં જબરદસ્ત ખળભળાટ મચી ગયો હતો. ઘટનાની જાણ થતાં દોડી આવેલા અન્ય જવાનોએ લોહીલુહાણ હાલતમાં પ્રમોદકુમાર દાસને આર્મી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયો હતો પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. બનાવને પગલે સીઆરપીએફ અને આર્મીની છાવણીમાં ઘેરા શોકની લાગણી છવાઇ ગઇ હતી. બનાવની જાણ થતાં ચિલોડા પોલીસે પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી મામલાની તપાસ હાથ ધરી હતી. પોલીસે બનાવ અંગે હાલ તો અકસ્માત મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે પરંતુ સીઆરપીએફજવાન પ્રમોદકુમાર દાસે કયા કારણસર અને કયા સંજોગોમાં આત્મહત્યા કરી તે દિશામાં તપાસનો દોર આગળ ધપાવ્યો છે.

(9:19 pm IST)