Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

તિલકવાડાના ગમોડ ગામના કનુભાઈ બારીયાની હત્યા બીજી પત્નીના પ્રેમીએ કરી હોવાનું ખુલ્યું : હત્યારાને ઝડપી પાડતી નર્મદા LCB

બે દિવસ પહેલા કનુભાઈ બારીયા બાઈક ઉપર પોતાના ખેતરે જતા હતા ત્યાં અજાણ્યા વ્યક્તિએ હુમલો કરતા મોત થયું હતું

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ગમોડ ગામના ખેડુતને માથામાં મારી અજાણી વ્યક્તિએ મોતને ઘાટ ઉતાર્યા હોય નર્મદા પોલીસ વડા હિમકર સિંહ ની સૂચના બાદ LCB ટીમે તપાસ શરૂ કરતાં મરનારની બીજી પત્ની સાથે આડો સંબંધ રાખનાર પ્રેમી એજ હત્યા કરી હોવાનું તપાસમાં બહાર આવતા પોલીસે કાયદેસર કાર્યવહી હાથ ધરી છે.

  તિલકવાડા તાલુકાના ગમોડ ગામના કનુભાઈ બારીયા પોતાની બાઈક ઉપર ખેતરે જતા હતા ત્યારે અજાણ્યા વ્યક્તિએ હુમલો કરતા તેમનું મોત થયું એ બાબતે ગુનો નોંધાયો હોય આ તપાસ નર્મદા એલસીબીને સોંપતા એ. એમ.પટેલ,પી.આઈ.એલ.સી.બી.તથા સી.એમ.ગામીત,પીએસઆઇ. એલ. સી. બી. તથા એલ.સી.બી ટીમે તપાસ દરમિયાન બનાવના સ્થળે ખેતરમાં કામ કરતા લોકો તથા અન્યની પુછપરછ દરમ્યાન માહીતી મેળવી જેમાં મૃતક કનુભાઇ નાગજીભાઇ બારીયાની બીજી ઘરવાળી સાથે ગમોડ ગામના પ્રવિણસિંહ ભારતસિંહ પારખીયાના છેલ્લા ત્રણ વર્ષથી આડા સબંધ હતા તેની કનુભાઈને જાણ થતા બંને વચ્ચે મનદુખ હોય પ્રવિણસિંહ પારખીયાએ કનુભાઈને માથામાં પથ્થર મારી હત્યા કરી હોવાનું એલસીબીની તપાસમાં પ્રવિણસિંહ પારખીયાએ કબુલ કરતા પોલીસે હત્યાના ગુનામાં પ્રવિણસિંહ  પારખીયાની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી કરી છે.

(3:45 pm IST)