Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

ગાંધીનગરમાં અકસ્માતનો સિલસિલો યથાવત: બે કાર સામસામે અથડાઈ: બેના મોત: સાતને ઇજા

ગાંધીનગર: જિલ્લામાં માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ દિનપ્રતિદીન વધી રહી છે ત્યારે દહેગામના રખિયાલ રોડ ઉપર બે કાર સામસામે અથડાતાં બે વ્યક્તિઓના સ્થળ ઉપર જ મોત નીપજયા હતા. જ્યારે સાત વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ઘાયલોને તાત્કાલિક સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા તો આ ઘટના અંગે પોલીસ દ્વારા અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 

આ અકસ્માતની ઘટના અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે દહેગામના વડોદરા ગામે રહેતા વાલજીભાઈ પુંજાભાઈ રબારી ઉવ.૬૦  અને કનુભાઈ સાંકાભાઈ રબાની રખિયાલ નજીકના ગામમાં જ લગ્નપ્રસંગમાં હાજરી આપી પરત ફરી રહયા હતા તે દરમ્યાન તેમની કારને દહેગામ રખિયાલ રોડ ઉપર આવેલા ગુપ્તેશ્વર મહાદેવ પાસે સામેથી આવતી ઈકો કારે ટક્કર મારી હતી.

 

 

 

(5:53 pm IST)