Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

કોરોના વખતે કોંગ્રેસના ભાઈ-બહેન ક્યાંય દેખાયા નથી અને હજુ પણ દેખાતા નથી : મુખ્યમંત્રી યોગીના પ્રહાર

ખેડાના મહેમદાબાદમાં મુખ્યમંત્રી યોગીએ સભા સંબોધી: કહ્યું - ભારત જોડો યાત્રામાં રાષ્ટ્રગીતના બદલે ફિલ્મી ગીત વાગે છે. આ કોંગ્રેસ હોત તો શું રામમંદિર બનાવી શકતી હતી.."?

અમદાવાદ : ખેડાના મહેમદાબાદમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સભા સંબોધી હતી. જ્યાં ઉત્તરપ્રદેશનના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે નિવેદન આપ્યુ છે કે, કોરોનામાં કોંગ્રેસ સરકાર હોત તો વેક્સિન અને લોકોના મફત રાશનના રૂપિયા ખાઈ જાત. જેમાં તેઓએ કોંગ્રેસ પર તીખા પ્રહાર કરતા કહ્યુ કે, "કોરોના વખતે કોંગ્રેસના ભાઈ-બહેન ક્યાંય દેખાયા નથી અને હજુ પણ દેખાતા નથી. ભારત જોડો યાત્રામાં રાષ્ટ્રગીતના બદલે ફિલ્મી ગીત વાગે છે. આ કોંગ્રેસ હોત તો શું રામમંદિર બનાવી શકતી હતી.."?

 

(8:26 pm IST)