Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે પ્રચારનો મહા પ્લાન તૈયાર : ભાજપના ટોચના નેતાઓ કાલે 93 બેઠક પર 93 જેટલી સભા સંબોધશે

.કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિતભાઈ શાહ ખંભાત, થરાદ, ડીસા, સાબરમતીમાં સભા ગજવશે: રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાની સહેરા, ચાણસ્મા, સિદ્ધપુર, નિકોલમાં સભા:ભાજપ શાસિત ત્રણ રાજ્યોના મુખ્યપ્રધાન પણ પ્રચારની ધૂરા સંભાળશે.

અમદાવાદ : ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે ભાજપે પ્રચારનો મહા પ્લાન તૈયાર કર્યો છે.  ભાજપના ટોચના નેતાઓ મંગળવારે 93 બેઠક પર 93 જનસભા સંબોધશે ..કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિતભાઈ  શાહ ખંભાત, થરાદ, ડીસા, સાબરમતીમાં સભા ગજવશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાની સહેરા, ચાણસ્મા, સિદ્ધપુર, નિકોલમાં સભાનું આયોજન કરાયું છે. ભાજપ શાસિત ત્રણ રાજ્યોના મુખ્યપ્રધાન પણ પ્રચારની ધૂરા સંભાળશે.

હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુર, આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ ત્રણ-ત્રણ જનસભાઓ ગજવશે. કેન્દ્રીય પ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવત, અજય ભટ્ટ, કૈલાશ ચોધરી પણ પ્રચાર સભાઓ સંબોધશે.જ્યારે ભાજપના સ્ટાર ચહેરાઓ સાંસદ મનોજ તિવારી અને રવિ કિશન પણ પ્રચાર સભા કરશે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે 4 રેલી સંબોધશે.

(7:36 pm IST)