Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

સોની સબ પર નવા આવી રહેલ શો ‘દિલ દિયા ગલ્‍લા'ની ટીમ અમૃતસર દર્શને

(કેતન ખત્રી) અમદાવાદ તા.૨૧: સોની સબના આગામી શો દિલ દિયા ગલ્‍લાના કલાકારોને અમૃતસરમાં સુવર્ણમંદિર ખાતે વાહેગુરૂજીના આશીર્વાદ મેળવવાનો સુવર્ણ મોકો મળ્‍યો ત્‍યારે તેમની ખુશીનો કોઇ પાર ન હોતો, સોની સબ ટૂંક સમયમાં જનવોશો દિલદિયા ગલ્‍લા લાવી રહી છે.

જે હિજરત અંગેની વાર્તા હકારાત્‍મકતા અને આશાના નજરિયાથી કહેવામાં આવેલી ભાવનાત્‍મક વાર્તા છે. શોના મુખ્‍યકલાકારોમાં નામાંકિત અભિનેતા પંકજ બેરી, જસજીતબબ્‍બર, સંદીપ બસવાના, રવિ ગોસાઇ, કાવેરી પ્રિયમ અને હેમા સૂદે વાહે ગુરૂજીના આશીર્વાદ મેળવવા માટે અમૃતસરમાં સુવર્ણમંદિરની મુલાકાત લીધી હતી.

આ શો પરિવારની ત્રણ પેઢીઓના સંબંધોની ગતિશીલતા પ્રદર્શિત કરે છે. આ પરિવારના સભ્‍યોમાં પ્રત્‍યક્ષ અને ભાવનાત્‍મક અંતર સાથે સંઘર્ષની વાતો છે.

(3:32 pm IST)