Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

વીર સાવરકરની રાષ્ટ્રભક્તિ પર કોઈ સવાલ હોઈ જ ન શકે : દેશ માટેના યોગદાનને ભૂલી ન શકાય: અમિતભાઇ શાહ

રાહુલ ગાંધીના નિવેદન અંગે કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યુ કે તેમને કોઈ ગંભીરતાથી લેતુ હોય એવુ મને લાગતુ નથી

અમદાવાદ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે જણાવ્યુ કે, વીર સાવરકરની રાષ્ટ્રભક્તિ વિશે કોઈ સવાલ હોઈ જ ન શકે. તેમના દેશ માટેના યોગદાનને ભૂલી ન શકાય. વીર સાવરકરે અંગ્રેજોની નીતિઓ પર પુસ્તક લખ્યુ હતુ અને અંગ્રેજોએ એ પુસ્તક પર પ્રતિબંધ મુક્યો હતો. વીર સાવરકર દેશના વીર સપૂત હતા આથી જ વિરોધીઓ પણ તેને વીર સાવરકર કહેવુ પડે છે. રાહુલ ગાંધીના નિવેદન અંગે અમિતભાઈ  શાહે કહ્યુ કે તેમને કોઈ ગંભીરતાથી લેતુ હોય એવુ મને લાગતુ નથી.

 

(11:11 pm IST)