Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

વડોદરામાં ગોરવામાં હાઉસિંગ બોર્ડમાં પત્નીના શ્રાદ્ધના સમયે યાદ આવી જતા બેંકના કર્મચારીએ આત્મઘાતી પગલું ભર્યું

વડોદરા:શહેરના ગોરવાના સમતા વિસ્તારમાં હાઉસિંગ બોર્ડના મકાનમાં રહેતા બેંક ઓફ ઇન્ડિયાના કર્મચારીએ ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. રવિવારે તેમની પત્નીનું શ્રાધ્ધ હતું અને પત્નીની યાદમાં તેઓ બેચેન રહેતા હતા એટલે તેમણે આત્મઘાતી પગલુ ભર્યુ હોવાનું પોલીસ માની રહી છે.

ગુજરાત હાઉસિંગ બોર્ડના બહુમાળી બિલ્ડિંગ પૈકી સરદાર પટેલ હાઇટ્સમાં નવમા માળે રહેતા બેંક ઓફ ઇન્ડિયાની ગોત્રી શાખાના કર્મચારી સુરેશચંદ્ર વિઠ્ઠલભાઇ પરમાર (.૫૪) ગુરૃવારે બપોરે પોતાના બેડરૃમમાં પંખાના હૂક સાથે સાલ બાંધીને ફાંસો ખાઇ લીધો હતો. સમયે તેની પુત્રી કિંજલ ઘરમાં હતી. બપોરે .૩૦ વાદ્યે આરામ કરવા જઉ છુ તેમ કહીને સુરેશભાઇ રૃમમાં ગયા હતા અને દરવાજો આડો કર્યો હતો ૧૦ મિનિટ પછી કિંજલ કામ માટે રૃમમાં ગઇ તો જોયુ કે સુરેશભાઇએ ફાંસો ખાઇ લીધો હતો. દ્રશ્ય જોઇને કિંજલ હેબતાઇ ગઇ હતી અને બુમાબુમ કરી હતી. કિંજલે તેના ભાઇ નિકુંજને ફોન કરીને બોલાવ્યો હતો.

(5:41 pm IST)