Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

અમદાવાદના વેજલપુરમાં કચરાના ડબ્બામાંથી બાળકીની હત્યા કરાયેલ લાશ મળતા ચકચાર

નવજાત બાળકીને ગળાના ભાગે ઈજાઓ પહોંચાડી હત્યા : લાશને કચરાના ડબ્બામાં ફેંકી

 

અમદાવાદ : શહેરના વેજલપુર પોલીસ ચોકી પાછળ એક કચરાના ડબ્બામાંથી બાળકીની લાશ મળતા ચકચાર જાગી છે   નવજાત બાળકીને ગળાના ભાગે ઈજાઓ પહોંચાડી હત્યા કરીને લાશને કચરાના ડબ્બામાં ફેંકી દેવાઈ હોવાનું અનુમાન છે પોલીસને જાણ થતા પોલીસે લાશનો કબજો મેળવી પીએમ માટે મોકલી આપ્યા છે. ત્યારે પોસ્ટમોર્ટમમાં રહસ્ય ખુલે તેવી શકયતા છે

    હત્યારાઓ સુધી પહોંચવા માટે પોલીસે સીસીટીવી ફુટેજ મેળવવા કાર્યવાહી હાથ ધરી છે. પોલીસનું કહેવું છે કે ચોકીની પાછળ આવેલા કચરાના ડબ્બામાં લાશ હતી. એક મહિલાએ જાણ કરતા કાર્યવાહી કરવામાં આવી છે.મહિલા ઝીનલ બેન પરમારનું કહેવું છે કે પહેલા તો તેમને ટેડી જેવું લાગ્યું હતું પરંતુ જ્યારે લોહી જોયું ત્યારે ખ્યાલ આવ્યો કે કોઈ બાળકની લાશ છે જેથી તેમને પોલીસને જાણ કરી હતી. ગોકુલધામ સોસાયટીમાં રહેતા ઝીનલ પરમાર નામની યુવતિ સવારે 11.30 વાગ્યે કચરો નાખવા આવ્યા હતા. ત્યારે તેમને એએમસીના કચરાના ડબ્બામાં એક બાળકની લાશ જોઈ હતી જેથી તેમને તાત્તકાલિક વેજલુપર પોલીસ ચોકીમાં હાજર પોલીસ કર્મચારીઓને જાણ કરી હતી

(11:31 pm IST)