Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

જનહિત મોરચા દ્વારા વાલિયા તાલુકા માં મામલતદાર ને આવેદનપત્ર

જનહિત મોરચા દ્વારા ભરૂચ જિલ્લા ના વાલિયા તાલુકા ના મામલતદાર શ્રી ને આવેદનપત્ર આપવામાં આવેલ હતું જેમાં અમારી 4 માંગો છે (1) કેસર ગામ થી ઈટકલા ગામ વચ્ચે નો પુલ બનાવો (2) ચંદેરીયા ગામ થી કેસર ગામ એસટી બસ ના આવતી હોવાથી ગામજનો ને તથા સ્કૂલ ના વિદ્યાર્થીઓ ને બહુ જ મુશ્કેલી સામનો કરવો પડે છે (3) કેસર ગામ માં પાટીદાર વિસ્તારમાં પાણી નથી આવતું (4) કેસર ગામની સરકારી શાળા 50 વિદ્યાર્થીઓ વચ્ચે એક જ શિક્ષક છે જેથી વિદ્યાર્થીઓ ના ભણતર માં બહુજ તકલીફ પડે છે એવી માંગો સાથે આવેદનપત્ર આપવામાં આવેલ હતું જેમાં મહેન્દ્ર આયલાણી અનિલ પટેલ પિંકલબેન પટેલ પાયલબેન ડી પટેલ હાજર રહયા હતા

(12:47 pm IST)