Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

રાજપીપળા ઇન્ડિયન રેડ ક્રોસ સોયાયટીમાં મોહસીને આઝમ મિશન હેઠળ 09 યુવાનોએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : મોહસીને આઝમ મિશન વિશ્વ ભરમા સેવા ભાવિ કાર્યો કરતી સંસ્થા છે જેમાં રાજપીપળા મોહસીને આઝમ મિશન દ્વારા અવાર નવાર સમાજના લોકો માટે સેવકાર્યો કરાઈ છે ત્યારે  વધુ એક સેવા કાર્યમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી રાજપીપળા ખાતે મોહસીને આઝમ મિશન દ્વારા બ્લડ ડોનેશનનું આયોજન કરવામાં આવ્યું જેમાં રાજપીપળા ના નવ યુવાનો એ રક્તદાન કર્યું હતું. રક્તદાન કરનાર યુવનોમાં નવાફળિયામા રહેતા ઇકબાલ પઠાણ,આશિક ભાઈ,સાજીદ ભાઈ,સમીર ભાઈ,જુનેદ ભાઈ મન્સૂરી સાહિતનાઓ એ સ્વૈચ્છિક રક્તદાન કરી બીજાની જિંદગી બચાવવાનો પ્રયાસ કર્યો હતો. આ તબક્કે મોહસીને આઝમ મિશનના પ્રમુખ શાહનાવજ પઠાણ અને મિશનની ટીમ ઉપસ્થિત રહી હતી જેમાં રાજપીપળા નગરપાલિકા પૂર્વ સભ્ય ઇલુંભાઈ બક્ષી,રાજપીપળા નગરપાલિકા સભ્ય લાલુ સોલંકી, આદિલ ભાઈ પઠાણ, એડવોકેટ, ઈમ્તિયાઝ નકુમ, ઇમરાન રાઠોડ, મુસા ભાઈ ચાહ વાળા,ઈરફાન ભાઈ ખોખર,નિઝામ ભાઈ રાઠોડ,આરીફ ભાઈ કુરેશી મિશનના સભ્યએ રક્તદાન કરતા નવ યુવાનોને શુભેચ્છા પાઠવી હતી

(11:34 pm IST)