Gujarati News

Gujarati News

News of Wednesday, 21st August 2019

શારજાહ બાદ હવે સુરત એરપોર્ટ પરથી દુબઇ અને બેંગકોકની ફ્લાઈટ શરૂ થવાની શકયતા

સુરતથી ઈન્ટરનેશનલ ફ્લાઈટ માટે ખાનગી એરલાઈન્સ કંપનીઓએ રસ દાખવ્યો

 

 સુરતના એરપોર્ટ પરથી વધુ બે ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ થવાની શક્યતા છે. દુબઈ અને બેંગકોકની ફ્લાઈટ ડિસેમ્બર સુધીમાં શરૂ થાય તેવા સંજોગો બન્યા છે સુરતથી ઈન્ટરનેશનલ ફ્લાઈટ માટે ખાનગી એરલાઈન્સ કંપનીઓએ રસ દાખવ્યો છે.

  હાલમાં સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટથી માત્ર શારજાહની ફ્લાઈટ ઉપડે છે. શારજાહ બાદ દુબઈ અને બેંગકોક જવા માટે સુરતવાસીઓએ માગ કરી હતી. સુરતવાસીઓની માગને લઈને નાતાલ સુધીમાં વધુ બે ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે.

    એર ઇન્ડિયાની સુરતથી શારજાહની ઈન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થયા બાદ ઇન્ડિગો એરલાઇન્સ દુબઇ અને બેંકકોની ફ્લાઇટ શરૂ કરે તેવી સુરતીઓ દ્વારા માંગ કરવામાં આવતી હતી. ત્યારે ખાનગી કંપનીઓએ સુરતથી ઈન્ટનેશનલ ફ્લાઇટ માટે રસ દાખવ્યો છે.

(10:26 pm IST)