Gujarati News

Gujarati News

News of Wednesday, 21st August 2019

ઉદેપુરમાં બસમાં સીટ ઉપર બેસવા બાબતની માથાકૂટના અમદાવાદમાં પડઘા ;બસમાં તોડફોડ17 લોકોની ધરપકડ

રાજા રાની ટ્રાવેલ્સની બસમાં બેફામ રીતે તોડફોડ કરીને ડ્રાઇવર ક્લિનરને પણ માર માર્યો

 

અમદાવાદ : રાજસ્થાનના ઉદેપુરમાં રાજા રાની ટ્રાવેલ્સમાં સીટ પર બેસવા મામલે થયેલી માથાકૂટના પડઘા અમદાવાદના નરોડા વિસ્તારમાં પડયા હતા ઉદેપુરથી નરોડા પહોંચેલી બસમાં તોડફોડ કરાઇ જેમાં કુલ 17 લોકોની ધરપકડ કરાઇ છે

   અંગે મળતી વિગત મુજબ અમદાવાદના નરોડા વિસ્તારમાં સોમવારની મોડી રાત્રે રાજા રાની ટ્રાવેલ્સની બસમાં તોડફોડ કરાઇ હતી. ઉદેપુરમાં બે શખ્સો વચ્ચે બસની સીટમાં બેસવા બાબતે માથાકૂટ થયા બાદ એક વ્યકિતએ અમદાવાદમાં તેના સાગરીતોને ફોન કર્યો હતો ત્યારે કેટલાય શખ્સો આવી પહોંચ્યા હતા. જે શખ્સોએ બેફામ રીતે તોડફોડ કરીને ડ્રાઇવર ક્લિનરને પણ માર માર્યો હતો

  ઘટના બાદ પોલીસે કુલ 17 વ્યકિતની ધરપકડ કરીને તેમના વાહનો પણ કબજે કર્યા છે ઘટનામાં જેના કારણે માથાકૂટ થઇ તે મુખ્ય સાગરીત વિશે પોલીસને ખબર નથી અને પોલીસ પાસે માથાકૂટ થઇ તેના એક પણ સીસીટીવી ફૂટેજ નથી કેમ કે વિસ્તારના સીસીટીવી બંધ હતા ત્યારે હાલ તો પોલીસે પકડેલા શખ્સોની પૂછપરછ હાથ ધરી છે.

(11:12 pm IST)