Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

તબીબો પરના હુમલાનો વિરોધઃ મેડીકલ એશો. દ્વારા નરહરી અમીનને આવેદન

રાજકોટઃ રાજયમાં તબીબો અને તબીબી સ્ટાફ પર થતા હુમલાના વિરોધમાં અમદાવાદ મેડીકલ એસો. દ્વારા અમદાવાદ ખાતે રાજયસભાના સભ્ય શ્રી નરહરી અમીનને આવેદન અપાયેલ. તેમણે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરાવવાની હૈયાધારણા આપી હતી. આવેદન આપતી વખતે અમદાવાદ મેડીકલ એસો.ના પ્રમુખ ડો. કિરીટ ગઢવી, જોઇન્ટ સેેક્રેટરી ડો. સાહીલ શાહ, વાઇસ પ્રેસીડેન્ટ ડો.મૌલીક શેઠ, ફાઇનાન્સ સચિવ ડો. સુનીલ ચેનવાલા, મેડીકલ સ્પેશ્યાલીટી એકેડેમીના ચેરમેન ડો.વિદ્યુત દેસાઇ  વિગેરે ઉપસ્થિત રહયા હતા.

(3:23 pm IST)