Gujarati News

Gujarati News

News of Tuesday, 21st April 2020

કોરોનાની ઝપટે આવેલ બનાસકાંઠા અને અરવલ્લી માટે પણ બે સચિવોની નિયુક્તિ

અમદાવાદ : મુખ્યમંત્રી  વિજય ભાઈ રૂપાણીએ રાજ્યમાં કોરોના પ્રભાવિત એવા જિલ્લા જ્યાં કોરોના સંક્રમિત દરદીઓની સંખ્યા બે આંકડામાં છે એટલે કે 10 થી વધુ છે તેવા બનાસકાંઠા અને અરવલ્લી માટે પણ બે સચિવોની નિયુક્તિ કરી છે

તદનુસાર કુટીર ઉદ્યોગ સચિવ સંદીપ કુમારને આણંદ જિલ્લામાં તેમજ નાણાં વિભાગના સચિવ (ખર્ચ) રૂપવંત્ત સિંઘને અરવલ્લી જિલ્લામાં કોરોના વાયરસ રોગ નિયંત્રણ સંલગ્ન કામગીરી માટે જિલ્લા તંત્રનું માર્ગદર્શન સુપરવિઝન અને અમલીકરણની જવાબદારી સોંપવામાં આવી છે

જી એમ ડી સી ના મેનેજિંગ ડિરેકટર એ એમ સોલંકીને અગાઉ સોંપાયેલી આણંદ જિલ્લાની જવાબદારીના સ્થાને હવે બનાસકાંઠાની જવાબદારી મુખ્યમંત્રીએ સોંપી છે

(12:34 am IST)