Gujarati News

Gujarati News

News of Tuesday, 21st April 2020

સિધ્ધપુરના નિદ્રોડા ગામમાં 2000થી વધુ ચામાચીડીયાનો વસવાટ ;ભયનો માહોલ

ગામમાં નવી કોઇ બીમારી ન ફેલાય તે માટે તાત્કાલિક તેને દુર કરવા માંગ

પાટણ : સિધ્ધપુરના નિદ્રોડામાં ૨૦૦૦થી પણ વધુ ચામાચીડીયા વસવાટ કરતા હોવાથી ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે. ખાસ કરીને ચામાચીડીયાના કારણે નવો કોઇ વાયરસ ગામમાં ન ફેલાય તે માટે તાત્કાલિક તેનો નિકાલ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસને લઇ ફફડાટ વ્યાપ્યો છે. ત્યારે કોરોના વાયરસને વધુ ફેલાતો અટકાવવા અનેક પ્રયોગ કરવામાં આવી રહ્યા છે. તેમ છતાં કોરોના મહામારીનો આંકડો ઘટવાને બદલે દિન-પ્રતિદિન વધારો થઇ રહ્યો છે

 પાટણ જિલ્લામાં અત્યાર સુધી કોરોનાના પોઝીટીવ ૧૫ કેસ નોંધાયા છે. ખાસ કરીને ચીનમાં વુહાન શહેરમાં આવેલી લેબોરેટરીમાં ચામાચીડીયા પર પ્રયોગ કરતા હોવાથી આ વાયરસ ફેલાયો હોવાનું ચર્ચાઇ રહ્યું છે. જેને લઇ સિધ્ધપુર તાલુકાના નિદ્રોડા ગામમાં એક માજી પોતાના ઘરમાં છેલ્લા ૪૦વર્ષથી ૨૦૦૦થી પણ વધુ ચામાચીડીયા સાથે વસવાટ કરી રહ્યા છે. ખાસ કરીને લોકોમાં એ પ્રશ્નો ઉભો થયો છે કે જો આ વાયરસ ચામાચીડીયાના સંક્રમણને કારણે ફેલાતો હશે તો ગામમાં નવી કોઇ બીમારી ન ફેલાય તે માટે તાત્કાલિક તેને દુર કરવા માંગ કરવામાં આવી રહી છે.

(10:56 pm IST)