Gujarati News

Gujarati News

News of Tuesday, 21st April 2020

નર્મદામાં નવા કોરોના પોઝીટીવ કોઈ કેસ નથી : જિલ્લામાં ૧૧ પોઝીટીવ કેસ યથાવત:૨૧૪ સેમ્પલના રિપોર્ટ નેગેટીવ

આયુર્વેદિક કોલેજ હોસ્ટેલ ફેસેલીટી બેઝ ક્વોરોન્ટાઇન હેઠળની ૦૭ વ્યક્તિઓને રજા અપાઇ

 

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં કોરોના મહામારીમાં આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસર ડૉ.આર.એસ.કશ્યપ તરફથી મંગળવારે સાંજે મળેલી માહિતી મુજબ જિલ્લામાં આજે વધુ નવા કોઇ પોઝીટીવ કેસ નોંધાયા નથી અને કોરોનાના પોઝીટીવ દરદીઓની સંખ્યા ૧૧ યથાવત છે.આયુર્વેદિક કોલેજ હોસ્ટેલ ફેસેલીટી બેઝ કોરોન્ટાઇન હેઠળના વ્યક્તિ ઓને આજે રજા અપાઇ હોય હાલ ૧૦૩ વ્યક્તિઓ ક્વોરોન્ટાઇન હેઠળ છે.સાથે ૨૧૪ સેમ્પલના રિપોર્ટ નેગેટીવ આવ્યા હોવાની જાણકારી મળી છે.

(10:03 pm IST)