Gujarati News

Gujarati News

News of Tuesday, 21st April 2020

મહારાષ્ટ્રમાં થયેલ સાધુઓની હત્યા મામલે નર્મદા વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા આવેદન : હત્યારાઓને સખત સજાની માંગ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : એક તરફ સમગ્ર દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે મહારાષ્ટ્રના પાલઘરમાં કથિત સનાતન સાધુઓ તેમજ ડ્રાઈવરની ટોળાં દ્વારા મોબ્લિન્ચિંગ કરી હત્યા કરી હોવાની ચકચારી ઘટના સામે આવી છે.આ બાબતે નર્મદા જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ દ્વારા ઉચ્ચ સ્તરીય તપાસ થાય અને હત્યારાઓને સખત સજા મળે તેવી માંગ સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
આવેદનમાં જણાવ્યા મુજબ મહારાષ્ટ્રના પાલઘરમાં હિન્દૂ સનાતની સાધુઓની હત્યા કરવામાં આવી છે , નર્મદા જિલ્લામાં વસવાટ કરતા સાધુ સંતો આ ઘટનાની ઘોર નિંદા કરે છે, માટે આપના માધ્યમ થકી સરકારમાં આવા કૃત્યો કરનાર સામે સખત કાર્યવાહી થાય અને આ ઘટનાની તપાસ માટે એક ઉચ્ચ સ્તરીય કમિટીની નિમણૂક કરવામાં આવે અને આરોપીઓ વિરુદ્ધ કડક માં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી રાજપીપળા સંત સમાજે મંગણી કરી છે.

(7:42 pm IST)