Gujarati News

Gujarati News

News of Tuesday, 21st April 2020

અમદાવાદમાં કોરોનાએ ડોક્ટરોને પણ ન છોડ્યા:50માંથી વધુ 5 કેસ ડોકટરોનો પોજીટીવ આવતા અરેરાટી

અમદાવાદ: શહેરમાં કોરોના વોલિયન્ટર્સ ગણાતા ડોક્ટરો પણ હવે સેફ રહ્યા નથી. અમદાવાદમાં વધુ નવા 5 ડોક્ટરોને કોરોના પોઝીટીવ આવ્યો છે. અમદાવાદમાં આજે નવા 50 કેસ નોંધાયા હતા જેમાં 5 જેટલા ડોક્ટરોને પણ કોરોના સંક્રમણ થયું છે. આજે નોંધાયેલા નવા કેસોમાં નવા નવા વિસ્તારો ખુલતા જાય છે.

છેલ્લા ઘણા સમયથી ડોકટરો, મેડિકલ સ્ટાફ અને પોલીસ કર્મચારીઓ કોરોનાનો ભોગ બની રહ્યા છે. આજે ઘાટલોડિયા અને નારણપુરામાં વધુ બે ડોક્ટરોને કોરોનાનો ચેપ લાગ્યો છે. નારણપુરામાં અંકુર રોડ ઉપર આવેલી ચંદન પાર્ક સોસાયટીમાં રહેતા ડો.રાઘવ સુથાર તેમજ ઘાટલોડિયા ચાણક્યપુરીમાં આવેલા દેવનંદન ફ્લેટમાં રહેતા ડો.હિરેન દોશીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

(5:26 pm IST)