Gujarati News

Gujarati News

News of Tuesday, 21st April 2020

મુખ્યમંત્રી રૂપાણીએ કોરોનાના ડોક્ટર અને દર્દીઓ સાથે ફેસબુક મારફત સંવાદ સાધ્યો

સારવાર અંગે તેમજ સુવિધાઓ અંગે માહિતી મેળવી

અમદાવાદ : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે કોરોનાના દર્દીઓ સાથે ફેસબુકના માધ્યમથી વાતચીત કરી હતી. દર્દીઓની સાથે સાથે ડોક્ટર સાથે પણ સંવાદ કરીને રાજ્યમાં ગ્રાઉન્ડ લેવલે કોરોનાની સારવાર અંગે માહિતી મેળવી હતી અમદાવાદના કોરોના અસરગ્રસ્ત દર્દીઓની સારવાર કરતા ડૉક્ટરો અને કોરોના અસરગ્રસ્ત દર્દીઓ સાથે સંવાદ કરીને સારવાર અંગે તેમજ સુવિધાઓ અંગે માહિતી મેળવી હતી.

 અત્રે ઉલ્લેખનીય છે કે સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને પ્રોપર સારવાર ન મળતી હોવાની ફરિયાદો ઉઠી રહી હતી. આ અંગે CM રૂપાણીએ ખુદ કોરોનાના ડોક્ટર અને દર્દીઓ સાથે સંવાદ સાધ્યો હતો. અને તેમના ખાવા પીવાથી લઈને રહેવા અને તાવ કે બીજા કોઈ પણ મુશ્કેલી અંગે પુછપરછ કરી હતી.

(1:53 pm IST)