Gujarati News

Gujarati News

News of Tuesday, 21st April 2020

ગુજરાતમાં વધુ ૬ના મોત સાથે મૃત્યુઆંક કુલ ૭૭એ પહોંચ્યો : નવા ૧૨૭ કેસ સાથે કુલ ૨૦૬૬ કેસો : જયંતિ રવિ

રાજયના અગ્રસચિવ જયંતિ રવિએ આજે સવારે ૧૧ કલાકે વિગતો આપતા જણાવેલ કે ગુજરાતમાં વધુ ૬ લોકોના મોત નિપજ્યા છે : જેમાં અમદાવાદના ૫ દર્દીઓના મોત થયા છે : વસ્ત્રાલ, મણીનગર, શાહીબાગમાં નવા કેસ નોંધાયા છે : અત્યાર સુધીમાં ૧૩૧ દર્દીઓ સાજા થયા છે તેઓને ડિસ્ચાર્જ કરાયા છે : અમદાવાદમાં કોરોના પોઝીટીવ કેસોનો આંકડો ૧૨૯૮એ પહોંચી ગયો છે, જયારે સુરતમાં નવા ૬૯ કેસ નોંધાયા છે, તો અમદાવાદમાં ૫૦ નવા કેસ નોંધાયા છે : રાજયમાં નવા ૧૨૭ પોઝીટીવ કેસ નોંધાયા છે : ગઈકાલ સવારથી સાંજ સુધીમાં વધુ ૬ના મોત થયા છે જેમાં ભાવનગરના ૧ અને અમદાવાદના ૫ છે : આ તમામની ઉંમર ૫૦ થી ૭૨ વર્ષની વચ્ચે છે : ગુજરાતમાં નવા ૧૨૭ કેસ નોંધાયા છે : મૃત્યુનો આંક કુલ ૭૭એ પહોંચી ગયો છે : આજે સવાર સુધીમાં અમદાવાદમાં કુલ ૧૨૯૮ (૪૩ના મોત), વડોદરા ૧૮૮ (૭ના મોત), સુરત ૩૩૮ (૧૦ના મોત), રાજકોટ ૪૦ (૦ મોત), ભાવનગર ૩૨ (૫ના મોત), આણંદ ૨૮ (૨ના મોત), ભરૂચ ૨૩ (૧નું મોત) : ગુજરાતમાં અત્યાર સુધીમાં ૨૦૬૬ કેસ નોંધાયા છે જેમાં ૭૭ દર્દીઓના મોત નિપજ્યા છે

(12:44 pm IST)