Gujarati News

Gujarati News

News of Tuesday, 21st April 2020

અમદાવાદના ઘાટલોડિયા અને નારણપુરામાં ડોક્ટર્સ પોઝિટીવ

ડોકટરો, મેડિકલ સ્ટાફ અને પોલીસ કર્મચારીઓને કોરોનાનો ચેપ લાગ્યો

અમદાવાદના નારણપુરા, નવાવાડજ અને ઘાટલોડિયામાં બે ડોક્ટરોને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અહીં ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી ડોકટરો, મેડિકલ સ્ટાફ અને પોલીસ કર્મચારીઓ કોરોનાનો ભોગ બની રહ્યા છે. આજે ઘાટલોડિયા અને નારણપુરામાં વધુ બે ડોક્ટરોને કોરોનાનો ચેપ લાગ્યો છે.

ઘાટલોડિયા ચાણક્યપુરીમાં આવેલા દેવનંદન ફ્લેટમાં રહેતા ડો. હિરેન દોશીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેને લઈને તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. બીજી બાજુ નારણપુરામાં અંકુર રોડ ઉપર આવેલી ચંદન પાર્ક સોસાયટીમાં રહેતા ડો.રાઘવ સુથારનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે. તેઓને પણ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અમદાવાદમાં આજે કુલ 50 નવા કેસ નોંધાયા છે. નવાવાડજના આનંદનગરમાં રહેતા અમરતભાઈ જોશીને પણ કોરોના પોઝિટિવ આવતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

(12:41 pm IST)