Gujarati News

Gujarati News

News of Tuesday, 21st April 2020

નર્મદા જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસ-૧૧ યથાવત : કુલ ૧૧૦ વ્યક્તિઓ ક્વોરોન્ટાઇન હેઠળ

આયુર્વેદિક કોલેજ હોસ્ટેલ ફેસેલીટી બેઝ ક્વોરોન્ટાઇન હેઠળની ૧૭ વ્યક્તિઓને રજા અપાઇ : સવારે ૬૮ સેમ્પલના રિપોર્ટ નેગેટીવ : સાંજે ૮૩ સેમ્પલના રિપોર્ટ પણ નેગેટીવ આવતા રાહત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસર ડૉ.આર.એસ.કશ્યપ તરફથી તા.૨૦ મી એપ્રિલ સાંજે ૫:૩૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ નર્મદા જિલ્લામાં આજે વધુ નવા કોઇ પોઝીટીવ કેસ નોંધાયેલ નથી અને આજની સ્થિતિએ જિલ્લામાં કોરોનાના પોઝીટીવ દરદીઓની સંખ્યા ૧૧ છે. જિલ્લામાં આયુર્વેદિક કોલેજ હોસ્ટેલ ફેસેલીટી બેઝ કોરોન્ટાઇન હેઠળની ૧૭ વ્યક્તિઓને આજે રજા અપાઇ છે, જેથી આજની સ્થિતિએ કુલ-૧૧૦ વ્યક્તિઓ ક્વોરોન્ટાઇન હેઠળ છે.
આરોગ્ય વિભાગના તરફથી મળતી માહિતી મુજબ તા.૨૦ મી એપ્રિલના રોજ સવારે મળેલા ૬૮ સેમ્પલ રિપોર્ટ નેગેટીવ આવ્યા છે તદ્દઉપરાંત સાંજે પ્રાપ્ત થયેલ વધુ ૮૩ સેમ્પલના રિપોર્ટ પણ નેગેટીવ આવ્યા હોવાની જાણકારી મળી છે.

(10:07 pm IST)