Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

વડોદરામાં નાણાંની અછતનો અનોખો વિરોધ :NSUI દ્વારા બેન્ક બહાર યજ્ઞ કરાયો

એનએસયુઆઈના કાર્યકરો કેશના બેનર સાથે જોડાયા : યજ્ઞમાં આહુતી આપી નાણાની અછતનો વિરોધ કર્યો

વડોદરા :વડોદરામાં એટીએમમાં નાણાની અછત મામલે એનએસયુઆઈ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો છે. એનએસયુઆઈ દ્વારા શહેરમાં આવેલી એસબીઆઈ બેંક બહાર યજ્ઞનું આયોજન કરાયું હતું યજ્ઞમાં એનએસયુઆઈના કાર્યકરો કેશના બેનર સાથે જોવા મળ્યા હતા. વિરોધ દરમ્યાન કાર્યકરોએ યજ્ઞમાં આહુતી આપી નાણાની અછતનો વિરોધ કર્યો હતો.    વડોદરામાં એટીએમમાં નાણાની અછત હોવાના કારણે લોકોને રોકડ માટે રઝળપાટ કરવી પડે છે. જેના વિરોધના ભાગરૂપે એનએસયુઆઈ દ્વારા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.

(7:48 pm IST)