Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

સુરતના ઉદ્યોગપતિ વસંતભાઇ ગજેરાના ૩ દિવસના વચગાળા જામીન મંજૂર

રાજકોટ તા. ર૧ :.. સુરત વેસુની જમીન પ્રકરણમાં જેલ હવાલે રહેલા લક્ષ્મી ડાયમંડના માલીક અને જાણીતા ઉદ્યોગપતિ વસંતભાઇ ગજેરાના હાઇકોર્ટ ૩ દિવસના વચગાળાના જામીન મંજૂર કર્યા છે.

પત્નીની તબીયત સારી ન હોય કોર્ટમાં દલીલ કરતા કોર્ટે પોલીસ જાપ્તા હેઠળ ૩ દિવસના વચગાળાના જામીન મંજૂર કર્યા છે.

(12:50 pm IST)