Gujarati News

Gujarati News

News of Sunday, 21st February 2021

રાજ્યમાં કોરોનાના કેસમાં ધીમીગતિએ વધારો : વધુ 264 દર્દીઓ સ્વસ્થ થયા: નવા 283 પોઝિટિવ કેસ નોંધાયા: વધુ એક દર્દીનું મૃત્યુ : કુલ મૃત્યુઆંક 4405 : કુલ 2,61,009 લોકોએ કોરોનાને હરાવ્યો : રાજ્યના 8 જિલ્લામાં એકપણ કેસ નહીં : વધુ 55,409 લોકોને રસી અપાઈ : કુલ 8,12,547 લોકોનું રસીકરણ કરાયું

રાજ્યમાં આજે અમદાવાદમાં 68 કેસ, વડોદરામાં 65 કેસ, સુરતમાં 47 કેસ, રાજકોટમાં 22 કેસ, કચ્છમાં 11 કેસ, ગાંધીનગરમાં 9 કેસ, ભરૂચમાં 6 કેસ, મોરબી, પંચમહાલ અને સાબરકાંઠામાં 5 -5 કેસ નોંધાયા: રાજ્યમાં હાલમાં 1690 એક્ટિવ કેસ:જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો ત્યારે  આજે રાજ્યમાં 283 નવા કેસ નોંધાય છે જયારે આજે વધુ 264 દર્દીઓ રિકવર થયા છે રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી  નવા કેસની સંખ્યા સતત ઓછી  થઇ રહી  છે

 રાજ્યમાં આજે કોરોનાના નવા 283 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે વધુ 264 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 2,61,009 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં આજે કોરોનાથી એક દર્દીનું મૃત્યુ થયું છે, રાજ્યમાં  મૃત્યુઆંક  4405 છે  રાજ્યમાં રિકવરી રેટ 97,72 થયો છે

 રાજ્યમાં ગત 16 જાન્યુઆરીથી કોરોના  રસીકરણનો પ્રારંભ થયેલ છે, જયારે વધુ 55,409 વ્યક્તિઓને કોરોના રસી આપવામાં આવી છે, અત્યાર સુધીમાં રાજ્યમાં 8,12,547 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે અત્યાર સુધીમાં રાજ્યમાં એકપણ વ્યક્તિને રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી

રાજ્યમાં હાલ 1690 એક્ટિવ કેસ છે, જેમાંથી 29 લોકો વેન્ટિલેટર પર અને 1661 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 2,61,009 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે 

 રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 283 પોઝિટિવ કેસમાં અમદાવાદમાં 68 કેસ, વડોદરામાં 65 કેસ, સુરતમાં 47 કેસ, રાજકોટમાં 22 કેસ, કચ્છમાં 11 કેસ, ગાંધીનગરમાં 9 કેસ, ભરૂચમાં 6 કેસ, મોરબી, પંચમહાલ અને સાબરકાંઠામાં 5 -5 કેસ નોંધાયા હતા

(8:27 pm IST)