Gujarati News

Gujarati News

News of Sunday, 21st February 2021

રાજપીપળામાં ન્યાયાલય સંકુલ ખાતેથી મતદાર જાગૃત્તિ રેલી યોજાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં આગામી તા.૨૮ મી ફેબ્રુઆરી ના રોજ યોજાનારી જિલ્લા પંચાયત,તાલુકા પંચાયત અને રાજપીપલા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ સંદર્ભે નર્મદા જિલ્લાની જનતા વધુમાં વધુ મહત્તમ મતદાન કરે તેવા હેતુસર જનજાગૃત્તિ કેળવવા આજે સવારે ૦૮-૩૦ કલાકે જિલ્લા ન્યાયલય સંકુલથી સરદાર ટાઉનહોલ સુધી મતદાર જાગૃત્તિ રેલી નીકળી હતી.જેમાં જિલ્લા શિક્ષણાધિકારી જયેશભાઇ પટેલ,જિલ્લા શિક્ષણ નિરીક્ષક ડી. બી. વસાવા,મદદનીશ શિક્ષણ નિરીક્ષક એમ.એમ.પટેલન સાથે વિવિધ શાળાના શિક્ષકો અને NSS ના વિદ્યાર્થીઓ જોડાયા હતા.

(10:58 pm IST)