Gujarati News

Gujarati News

News of Thursday, 21st February 2019

ગુજરાત યુનિવર્સીટીમાં ઉપકુલપતિ તરીકે જગદીશ ભાવસારની નિમણુંક :ત્રણ વર્ષ સુધી રહેશે કાર્યકાળ

 

અમદાવાદ :ગુજરાત યુનિવર્સિટીમાં ઉપકુલપતિ તરીકે રાજ્ય સરકાર દ્વારા જગદીશ ભાવસારની નિમણૂંક કરાઈ છે. સરકારના પરિપત્ર મુજબ તેઓ જ્યારથી ચાર્જ સંભાળશે ત્યારથી લઈને ત્રણ વર્ષ સુધીનો તેમનો ઉપકુલપતિ તરીકેનો કાર્યકાળ રહેશે.

   જોકે એવું કહેવાય છે કે પદ માટે ભાજપના મીડિયા સેલના કન્વીનર હર્ષદ પટેલ રેસમાં હતા અને તેમણે ભાજપના હોદ્દોદારો મારફતે ઉચ્ચસ્તરે રજૂઆત પણ કરી હતી. તેમજ મોવડી મંડળને રજૂઆત કરીને પોતાનો પક્ષ મજબૂત બનાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અંતે રાજ્ય સરકારે ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ તરીકે જગદીશ ભાવસારના નામની જાહેરાત કરી છે.

(9:51 pm IST)