Gujarati News

Gujarati News

News of Thursday, 21st February 2019

કોંગ્રેસને સરદાર ગમતા નથી એટલે વારંવાર સરદારનું અપમાન કરે છે : વિજયભાઇ

સરદારના અપમાનને કારણે ગૃહની ગરીમા લજવાઇ : દંડક પંકજ દેસાઇ

અમદાવાદ તા. ૨૧ : ગૃહમાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે સરકારે લોખંડનો ભંગાર એકઠો કરી સરદારની પ્રતિમા બનાવી છે. બાદમાં ભાજપના સભ્યોએ ભારે હોબાળો મચાવ્યો હતો.અને પરેશ ધાનાણી માફી માંગે તેવી માંગણી કરી હતી. જો કે પરેશ ધાનાણીએ માફી માંગવાનો ઇન્કાર કરતા વિવાદ ઉગ્ર બન્યો હતો.

દરમિયાન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે કોંગ્રેસને સરદાર ગમતા નથી આથી તે વારંવાર સરદારનું અપમાન કરે છે. બીજી તરફ દંડક પંકજ દેસાઇએ પણ જણાવ્યું હતું કે સરદારના અપમાનને કારણે ગૃહની ગરીમા લજવાઇ છે.(૨૧.૧૦)

(11:55 am IST)