Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

DPSના વિદ્યાર્થીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે: શિક્ષણ નિરીક્ષક વી.એચ.શર્મા

વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખી નિર્ણય લેવાશે.

અમદાવાદની DPS સ્કૂલની માન્યતા રદ થવાને લઇ વાલીઓ ચિંતિત છે. ત્યારે વાલીઓએ અમદાવાદ DEOને DPS સ્કૂલ ચાલુ રાખવાની રજૂઆત કરી છે. 2 મહિના માટે બાળકોને ક્યાં મૂકવા તેને લઇને વાલીઓને ચિંતા છે. ત્યારે વાલીઓનું કહેવું છે કે બીજી શાળાઓ વાલીઓને પ્રવેશ નથી આપતી. જેથી બાળકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માગ કરી છે.

 વાલીઓનું કહેવું છે કે બાળકોના ભવિષ્યનો સવાલ હોવાથી તંત્ર દ્વારા આ અંગે નિર્ણય લેવામાં આવે. ત્યારે શિક્ષણ નિરીક્ષક વી.એચ.શર્માએ કહ્યું કે બાળકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે. CBSE બોર્ડને રજૂઆત કરી કાર્યવાહીની માગ કરી છે. વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખી નિર્ણય લેવાશે.

(1:54 pm IST)