Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

અમદાવાદના હાથીજણમાં નિત્યાનંદ આશ્રમ ખાલી કરાયો સાધકો પોલીસ રક્ષણ સાથે બેગ-બિસ્તરા બાંધી બેંગ્લુરુ ભેગા

બાળકોને ક્યાં રાખવામાં આવશે તે અંગે આશ્રમના સાધકો દ્વારા કોઈપણ ખુલાસો નહીં

અમદાવાદ : હાથીજણમાં આવેલા નિત્યાનંદ આશ્રમને અંતે ખાલી કરાવવામાં આવી રહ્યો છે. ડીપીએસ સ્કૂલની માન્યતા રદ્દ થતાની સાથે આશ્રમમાં રહેલા સાધકોએ પોલટા બાંધ્યા છે. સાધકોને પોલીસ રક્ષણ સાથે બેંગાલુરૂ લઈ જવામાં આવી રહ્યા છે.

  જોકે, આશ્રમમાં રહેતા બાળકોને ક્યાં રાખવામાં આવશે તે અંગે આશ્રમના સાધકો દ્વારા કોઈપણ પ્રકારનો ખુલાસો કરવામાં આવ્યો નથી.નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલે મહત્વનો ખુલાસો કર્યો હતો. નિત્યાનંદનો આ આશ્રમ ભૂતિયો હતો. તેમ છતા ડીપીએસની છત્રછાયામાં આ આશ્રમને ચલાવવામાં આવતો હતો. ત્યારે આશ્રમને હવે ખાલી કરાવવામાં આવી રહ્યો છે.

(1:23 pm IST)