Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

મધર્સ ડેના દિવસે માતાનું મોત નિપજતા વિરહમાં વડોદરાના પુત્રએ જીવાદોરી ટૂંકાવી

વડોદરા:ત્રણ દિવસ અગાઉ મધર્સ ડેના દિવસે જ મોત પામેલી માતાના વિરહમાં નવાયાર્ડમાં રહેતા આધેડ પુત્રએ આજે બપોરે પોતાના ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. નવાયાર્ડ રસુલજીની ચાલીમાં પરિવાર સાથે રહેતા ૫૧ વર્ષીય અરવિંદભાઈ માનાભાઈ પરમાર મકરપુરા જીઆઈડીસીની કંપનીમાં વેલ્ડર તરીકે કામ કરતા હતા. ત્રણ દિવસ અગાઉ મધર્સ ડે ના દિવસે તેમના ઘર પાસે આવેલા રામવાડીમાં ભાઈના ઘરે રહેતી તેમની વૃધ્ધ માતાનું અવસાન થયું હતું. માતાના અવસાનના પગલે તે ભારે વ્યથિત રહેતા હતા. આજે તે પરિવાર સાથે ભાઈના ઘરે મરણોત્તર ક્રિયામાં જઈ ત્યાંથી ન્હાવા માટે બાર વાગે પોતાના ઘરે આવ્યા હતા. ઘરે આવતા જ તેમણે પતરાના મોભમાં ઓંઢણી વડે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. બપોરે એક વાગે પુત્રએ ઘરનો દરવાજો ખોલતો તેને પિતાએ ફાંસો ખાધો હોવાની ચોંકાવનારી જાણ થઈ હતી. આ બનાવની જાણ કરાતા ફતેગંજ પોલીસ મથકમાં એએસઆઈ શ્રીકાંતભાઈ સહિતના સ્ટાફે અરવિંદભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિલમાં મોકલી આપી તપાસ શરૃ કરી હતી જેમાં માતાના વિરહમાં અરવિંદભાઈએ ફાંસો ખાધો હોવાની જાણ થઈ હતી. ગણતરીના કલાકોમાં માતા-પુત્રના મોતના બનાવથી પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ હતી.

(5:39 pm IST)