Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

રાધનપુરની ખાનગી હોસ્પિટલમાં જન્મ બાદ નવજાત શિશુ રહસ્યમય રીતે ગૂમ : બનાવની તટસ્થ તપાસની માંગણી

મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા મુસ્લિમ પરિવારમાં પુત્ર જન્મની ખુશી ફળી નહિં

છ દિકરીઓ બાદ પુત્રનો જન્મ થતાં પરિવારજનોમાં ખુશાલી છવાઈ ગઈ હતી. પરિવારજનોએ બાળક જોવા માગતા સ્ટાફે ગલ્લા - તલ્લા કર્યા ત્યારબાદ બાળક મૃત્યુ પામ્યુ હોવાનું જણાવ્યુ જયારે દફનવિધિ કરવા બાળકની લાશની માગણી કરી તો આપવાની ના પાડી બાળકના મૃતદેહને બાળી નાખ્યો છે તેમ જણાવ્યુ, જયારે સ્ટાફમાં કેટલાક ગણગણાટ કરતા હતા કે બાળકને બિલાડી કે કૂતરૂ ખેચી ગયુ છે : બાળકને બાળી નાખ્યુ હોય તો તેના અવશેષો કયાં ગયા? કૂતરૂ - બિલાડી ખેંચી ગયા હોય તો અવશેષો કેમ મળતા નથી : માનવ તસ્કરીની લોકચર્ચાથી સમગ્ર પંથકમાં ચકચાર

(11:26 am IST)