Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

અમદાવાદના નારોલમાં HSC બોર્ડમાં નાપાસ થતા વિદ્યાર્થિનીએ ગળેફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું : અરેરાટી

મૂળ એમપીની વિદ્યાર્થિનીએ પરિણામથી નિરાશ હોવાના કારણે પગલું ભર્યું

 

અમદાવાદ ;અમદાવાદના નારોલ વિસ્તારમાં બોર્ડની પરીક્ષામાં નાપાસ થતા વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી લીધી છે  પરીક્ષાનું પરિણામ ઘણા વિદ્યાર્થીઓ માટે કરિયરનો મહત્વપૂર્ણ વળાંક સાબિત થાય છે તો ઘણા વિદ્યાર્થીઓ માટે જીવલેણ પણ નિવડી શકે છે.નારોલ વિસ્તારમાં આવેલા વૈશાલી નગરમાં HSCબોર્ડની વિદ્યાર્થિનીએ નાપાસ થતા આત્મહત્યા કરી લીધી. મૂળ મધ્ય પ્રદેશની રહેવાસી વિદ્યાર્થિનીએ સુસાઈડ નોટ પણ લખી છે.

   વિદ્યાર્થિનીએ પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ લેતા મોત નિપજ્યું છે. ઘટનાને પગલે નારોલ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ત્યાર બાદ વિદ્યાર્થિનીના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે મોકલવામાં આવ્યો હતો. આત્મહત્યા કરતાં પહેલા વિદ્યાર્થિનીએ સુસાઇડ નોટ લખી હતી, જેમાં તેણે પરિણામને કારણે નિરાશ હોવાને કારણે પગલું ભરી રહી છે તેમ જણાવ્યું હતું.

(11:42 pm IST)